المدّثر

تفسير سورة المدّثر

الترجمة الغوجراتية

ગુજરાતી

الترجمة الغوجراتية

ترجمة معاني القرآن الكريم للغة الغوجراتية ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد جزرات ، نشرتها مؤسسة البر - مومباي 2017

﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ يَا أَيُّهَا الْمُدَّثِّرُ﴾

૧) હે ચાદર ઓઢનાર !

﴿قُمْ فَأَنْذِرْ﴾

૨) રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું,

﴿وَرَبَّكَ فَكَبِّرْ﴾

૩) અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો.

﴿وَثِيَابَكَ فَطَهِّرْ﴾

૪) અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર.

﴿وَالرُّجْزَ فَاهْجُرْ﴾

૫) નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું.

﴿وَلَا تَمْنُنْ تَسْتَكْثِرُ﴾

૬) નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે.

﴿وَلِرَبِّكَ فَاصْبِرْ﴾

૭) હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે.

﴿فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ﴾

૮) તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો.

﴿فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ﴾

૯) પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો.

﴿عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ﴾

૧૦) અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.

﴿ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا﴾

૧૧) મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.

﴿وَجَعَلْتُ لَهُ مَالًا مَمْدُودًا﴾

૧૨) નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે.

﴿وَبَنِينَ شُهُودًا﴾

૧૩) અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે.

﴿وَمَهَّدْتُ لَهُ تَمْهِيدًا﴾

૧૪) જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.

﴿ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ﴾

૧૫) નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા.

﴿كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا﴾

૧૬) તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા.

﴿سَأُرْهِقُهُ صَعُودًا﴾

૧૭) જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે.

﴿إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ﴾

૧૮) જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે.

﴿فَقُتِلَ كَيْفَ قَدَّرَ﴾

૧૯) નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં.

﴿ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ﴾

૨૦) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે.
અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો.
તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે.

﴿ثُمَّ نَظَرَ﴾

૨૧) તેણે ફરી જોયુ.

﴿ثُمَّ عَبَسَ وَبَسَرَ﴾

૨૨) પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ.

﴿ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ﴾

૨૩) પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ.

﴿فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ﴾

૨૪) અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે.

﴿إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ﴾

૨૫) માનવીના કથન સિવાય કશું જ નથી.

﴿سَأُصْلِيهِ سَقَرَ﴾

૨૬) હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.

﴿وَمَا أَدْرَاكَ مَا سَقَرُ﴾

૨૭) અને તને શું ખબર કે જહન્નમ શું છે ?

﴿لَا تُبْقِي وَلَا تَذَرُ﴾

૨૮) ન તે બાકી રાખે છે ન છોડે છે.

﴿لَوَّاحَةٌ لِلْبَشَرِ﴾

૨૯) ચામડીને બાળી નાખે છે.

﴿عَلَيْهَا تِسْعَةَ عَشَرَ﴾

૩૦) અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.

﴿وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ﴾

૩૧) અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે.
જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે.

﴿كَلَّا وَالْقَمَرِ﴾

૩૨) સાચું કહું છું સોગંદ છે ચંદ્રના.

﴿وَاللَّيْلِ إِذْ أَدْبَرَ﴾

૩૩) અને રાત્રિના જ્યારે તે પાછી ફરે.

﴿وَالصُّبْحِ إِذَا أَسْفَرَ﴾

૩૪) અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય.

﴿إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ﴾

૩૫) કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.

﴿نَذِيرًا لِلْبَشَرِ﴾

૩૬) આદમની સંતાનને ચેતવણી આપનારી.

﴿لِمَنْ شَاءَ مِنْكُمْ أَنْ يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ﴾

૩૭) (એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે.

﴿كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ﴾

૩૮) દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે.

﴿إِلَّا أَصْحَابَ الْيَمِينِ﴾

૩૯) પરંતુ જમણા હાથવાળા.

﴿فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ﴾

૪૦) કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી.

﴿عَنِ الْمُجْرِمِينَ﴾

૪૧) પ્રશ્ર્ન કરતા હશે.

﴿مَا سَلَكَكُمْ فِي سَقَرَ﴾

૪૨) તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા.

﴿قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ﴾

૪૩) તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.

﴿وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ﴾

૪૪) ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.

﴿وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ﴾

૪૫) અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં.

﴿وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ﴾

૪૬) અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.

﴿حَتَّىٰ أَتَانَا الْيَقِينُ﴾

૪૭) અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા.

﴿فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ﴾

૪૮) બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે.

﴿فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ﴾

૪૯) તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.

﴿كَأَنَّهُمْ حُمُرٌ مُسْتَنْفِرَةٌ﴾

૫૦) જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે.

﴿فَرَّتْ مِنْ قَسْوَرَةٍ﴾

૫૧) જે સિંહથી ડરીને ભાગ્યા હોય.

﴿بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِنْهُمْ أَنْ يُؤْتَىٰ صُحُفًا مُنَشَّرَةً﴾

૫૨) પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે.

﴿كَلَّا ۖ بَلْ لَا يَخَافُونَ الْآخِرَةَ﴾

૫૩) કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે.

﴿كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ﴾

૫૪) સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.

﴿فَمَنْ شَاءَ ذَكَرَهُ﴾

૫૫) હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે.

﴿وَمَا يَذْكُرُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ﴾

૫૬) અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં.

الترجمات والتفاسير لهذه السورة: