المعارج

تفسير سورة المعارج

الترجمة الغوجراتية

ગુજરાતી

الترجمة الغوجراتية

ترجمة معاني القرآن الكريم للغة الغوجراتية ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد جزرات ، نشرتها مؤسسة البر - مومباي 2017

﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ﴾

૧) એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે.

﴿لِلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ﴾

૨) ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી.

﴿مِنَ اللَّهِ ذِي الْمَعَارِجِ﴾

૩) તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે.

﴿تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ﴾

૪) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે.

﴿فَاصْبِرْ صَبْرًا جَمِيلًا﴾

૫) બસ ! તુ સારી રીતે ધીરજ રાખ.

﴿إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا﴾

૬) નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે,

﴿وَنَرَاهُ قَرِيبًا﴾

૭) અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.

﴿يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ﴾

૮) જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે.

﴿وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ﴾

૯) અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.

﴿وَلَا يَسْأَلُ حَمِيمٌ حَمِيمًا﴾

૧૦) અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.

﴿يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ﴾

૧૧) (પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને,

﴿وَصَاحِبَتِهِ وَأَخِيهِ﴾

૧૨) પોતાની પત્નિને અને પોતાના ભાઇને

﴿وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ﴾

૧૩) અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા.

﴿وَمَنْ فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنْجِيهِ﴾

૧૪) અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે.

﴿كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ﴾

૧૫) (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે.

﴿نَزَّاعَةً لِلشَّوَىٰ﴾

૧૬) જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.

﴿تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ﴾

૧૭) તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.

﴿وَجَمَعَ فَأَوْعَىٰ﴾

૧૮) અને ભેગુ કરીને સંભાળી રાખે છે.

﴿۞ إِنَّ الْإِنْسَانَ خُلِقَ هَلُوعًا﴾

૧૯) ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.

﴿إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا﴾

૨૦) જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે.

﴿وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا﴾

૨૧) અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે.

﴿إِلَّا الْمُصَلِّينَ﴾

૨૨) સિવાય તે નમાઝી

﴿الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ﴾

૨૩) જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.

﴿وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَعْلُومٌ﴾

૨૪) અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.

﴿لِلسَّائِلِ وَالْمَحْرُومِ﴾

૨૫) માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.

﴿وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ﴾

૨૬) અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે.

﴿وَالَّذِينَ هُمْ مِنْ عَذَابِ رَبِّهِمْ مُشْفِقُونَ﴾

૨૭) અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે.

﴿إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ﴾

૨૮) નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી.

﴿وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ﴾

૨૯) અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..

﴿إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ﴾

૩૦) હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી.

﴿فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ﴾

૩૧) હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે.

﴿وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ﴾

૩૨) અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.

﴿وَالَّذِينَ هُمْ بِشَهَادَاتِهِمْ قَائِمُونَ﴾

૩૩) અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.

﴿وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ﴾

૩૪) અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.

﴿أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُكْرَمُونَ﴾

૩૫) આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.

﴿فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ﴾

૩૬) બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે.

﴿عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ﴾

૩૭) જમણે અને ડાબેથી, જૂથના જૂથ

﴿أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِنْهُمْ أَنْ يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ﴾

૩૮) શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે ?

﴿كَلَّا ۖ إِنَّا خَلَقْنَاهُمْ مِمَّا يَعْلَمُونَ﴾

૩૯) (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે જેને તેઓ જાણે છે.

﴿فَلَا أُقْسِمُ بِرَبِّ الْمَشَارِقِ وَالْمَغَارِبِ إِنَّا لَقَادِرُونَ﴾

૪૦) બસ ! મને સોગંદ છે પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની (કે) અમે ખરેખર શક્તિમાન છે,

﴿عَلَىٰ أَنْ نُبَدِّلَ خَيْرًا مِنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ﴾

૪૧) તે વાત પર કે તેઓના બદલે તેમનાથી સારા લોકોને લઇ આવીએ અને અમે અક્ષમ નથી.

﴿فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ﴾

૪૨) બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે પોતાના તે દિવસથી મુલાકાત કરી લે જેનું તેમને વચન આપવામાં આવ્યુ છે.

﴿يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ﴾

૪૩) જે દિવસે આ લોકો કબરોમાંથી દોડતા નીકળશે, જેવી રીતે કે તેઓ કોઇ જ્ગ્યા તરફ ઝડપથી જઇ રહ્યા હોય.

﴿خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ﴾

૪૪) તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.

الترجمات والتفاسير لهذه السورة: